Saturday, December 27, 2025

પિકનિક - 2026

શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન કરવામાં આવ્યું.આ પર્યટન માં બાળકોએ આનંદદાયી પ્રવૃત્તિઓ, રમતગમત અને નાસ્તો ની મોજ કરી હતી.
આ પિકનિક ના ફોટા જોવા અહીં કલીક કરો

મેઘપર પ્રાથમિક શાળાના બાળકોનો પ્રવાસ -

 મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં આવ્યો.

સવારે ૬-૪૫ એ મેઘપર થી નીકળી ૧૧-૦૦ કલાકે પહોંચયા હતા. શીવ મંદિરના દર્શન કરીને ભારત ની પશ્ચિમ સીમા જોઇ હતી. તે વિસ્તાર ના ભૌગોલિક મહત્વ વિશે જાણ્યા હતા. નારાયણ સરોવર સિંધુ નદી સમુદ્રને મળતી વખતે જે મીઠા પાણીનું સરોવર રચાતું તેની માહિતિ મેળવી. નારાયણસરોવર માં ત્રિકમરાય ના દર્શન કરીને બાળકોએ સ્વામિનારાયણ મંદિર નારાયણસરોવર  ખાતે ભોજન કરીને થોડી વાર આરામ કર્યો હતો. ત્યારબાદ લખપત જવા રવાના થયા.

લખપત પહોંચીને લખપત નો ઇતિહાસ જાણયો હતો. નગર ની રચના તેના પુરાતત્વીય અવશેષો અને નકશો જોયો.   ભવ્ય કિલ્લા પર ચડ્યા હતા. લખપત બંદર અને સિંધુ નદી જે સ્થળે સમુદ્ર ને મળતી તે જગ્યા જોઇ. ઇ.સ. 1819ના ભુકંપ બાદ અલ્લાહ બંધની રચના અને બંદર ની પડતી વિશે જાણ્યું. ત્યારબાદ શીખ ધર્મ ના સ્થાપક ગુરુ નાનક્દેવ અહીં પધાર્યા હતા અને ગુરુદ્વારાની સ્થાપના કરી તે ગુરુદ્વારા જોયું. શીખધર્મ , ગ્રંથસાહેબ અને શીખ ધર્મ વિશે માહિતગાર થયા. 

ત્યાંથી ગુનેરીની શીવ ગુફા અને સિયોત ની પૌરાણીક બૌધ ગુફાઓ જોઇ હતી. ત્યાંથી માતાના મઢ માં આશાપુરા માતાજી ના દર્શન કરી રાત્રીભોજન - પ્રસાદ લીધું. થોડી ખરીદી બાદ ઘરે પરત ફરવા નીકળ્યા. રાત્રે ૧૨-૦૦ વાગે સૌ મેઘપર પરત ફર્યા. શાંક્ષણિક પ્રવાસ આનંદમય અને માહિતીપ્રદ રહ્યું.

ફોટો જોવા અહિં ક્લિક કરો

Friday, August 15, 2025

મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી


ગામ: મેઘપર
તારીખ: 15 ઓગસ્ટ, 2025
સ્થળ: મેઘપર શાળા
મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી છલોછલ હતો.
સવારે 8:00 કલાકે શાળાના પ્રાંગણમાં સૌ પ્રથમ પ્રાર્થના સાથે કાર્યક્રમનો શુભારંભ થયો. આ શાંત અને પવિત્ર વાતાવરણમાં ઉપસ્થિત સૌએ દેશ અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ, કાર્યક્રમના મુખ્ય મહેમાનો, જેમાં ગામના સરપંચ શ્રી નાગશીંભાઈ મહેશ્વરી તથા અન્ય અતિથિ વિશેષોની વરણી કરવામાં આવી.
 કાર્યક્રમના મુખ્ય મહેમાન સરપંચશ્રી નાગશીંભાઈ મહેશ્વરીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્રિરંગો લહેરાતા જ સૌ ઉપસ્થિત ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેને સલામી આપી. એકસાથે સૌએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને આખો માહોલ દેશભક્તિથી ગુંજી ઉઠ્યો.
ધ્વજવંદન બાદ, શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. શાળાના આચાર્ય શ્રીમતી તૃપ્તિબેન દવેએ સૌનું શાબ્દિક સ્વાગત કરતા સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર માન્યો.
આજે શાળાના વિદ્યાર્થીઓ માટે એક અનોખો દિવસ હતો. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો. વિવિધ દોડ, ભૂખ્યા પક્ષીઓ, દડો રિલે રમત, સંગીત ખુરશી, સ્લો સાઈકલિંગ, બેડા અને ડિસ બેલેન્સ, ફૂગ્ગા ફોડ, કોથળા દોડ જેવી અનેક રમતોમાં બાળકોએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી. વિજેતા બાળકોને તાળીઓથી વધાવવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં શાળાના વિકાસમાં અમૂલ્ય ફાળો આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અનિ. પુરબાઈ વિશ્રામ આંબા, શ્રી વેલજીભાઈ શામજીભાઈ હિરાણી અને શ્રીમતી સીતાબેન ગોપાલ હિરાણીને ફૂલહાર, શાલ અને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના યોગદાનને લીધે શાળાના શૈક્ષણિક અને ભૌતિક માળખામાં સુધારો થયો છે, જેના માટે શાળા પરિવાર અને ગ્રામજનો તેમના આભારી છે.
શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને તાજ અને સન્માન પટ્ટો પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. તેમના વાલીઓ સાથે તેમને ઈનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી રહે.
આ ભવ્ય કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયતના સભ્યો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અનિલભાઈ દરજી એ કર્યું હતું કાર્યક્રમની સફળતા પાછળ શાળાના શિક્ષકો અને કર્મચારીઓનો સખત પરિશ્રમ રહ્યો હતો. તેમના આયોજન અને વ્યવસ્થાપનને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. કાર્યક્રમના અંતે સ્વચ્છતા રથને વધાવવામાં આવ્યો ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી . આમ, સ્વતંત્રતા દિવસની ખુશી ઉજવી અને આવતા વર્ષે ફરી મળવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા.





































































































ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...